Friday, September 01, 2006

એક હતો રેઇનકોટ - બકુલ ત્રિપાઠી. ( 27-11-1928 )

પ્રખ્યાત હાસ્ય લેખક અને ગુજરાતી સાહિત્યના હીરલાસમ્ શ્રી બકુલ ત્રિપાઠી આજે આપણી વચ્ચે નથી. તેમનુ હાર્ટ એટેક થી દુઃખદ અવસાન થયુ છે. ઇશ્વર તેમના દિવ્ય આત્મા ને શાંતિ તથા સદગતી અર્પે અને તેમના પરિવાર- જનોને આ આઘાત સહન કરવાને શક્તિ આપે. તેમને શ્રદ્ધા સુમન અર્પણ કાજ અહીં તેમની એક કવિતા.

એક હતો રેઇનકોટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.

તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને
બદતમીજીની હદ આવી ગઇ.
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.

હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?

સારું થયું ને ? કે…..
બે હતાં આપણે
ને રેઇનકોટ એક !

No comments:

Free Website